માંગરોળ,
પ્રતિનિધિ :- ઐયુબ મજેવડીયા
વિશ્વભરમાં કહેર મચાવનાર અને 70થી પણ વધું દેશોને પોતાના ચપેટમાં લેનાર કોરોના વાયરસ વિશે લોકો વધુમાં વધું જાગૃતતા આવે અને લોકો કાળજી રાખે તે માટે કરીને માંગરોળ પોલીસ દ્વારા ડીવાયએસપી જે.ડી પુરોહિત અને સ્મિત ગોહીલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકોમાં પેમ્ફલેટ વાટી લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું. આ ઉપરાંત માંગરોળ પોલીસ દ્વારા જરૂરમંદોને રાશન કિટ પણ આપવામાં આવ્યા.