પિતાનુ મૃત્યુ થતાં પરિવારજનો અંતિમવિધિ માટે ગયા અને ચોરટા ઘર માં હાથ સાફ કરી ગયા!!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મોતનો મલાજો જાળવવામાં પણ ચોરટા માનવતા ભુલ્યા!!

સેલંબા ગામે પિતાની અંતિમવિધિ કરવા ગયેલા પરિવાર નાં ઘરમાંથી રૂ.4.65 લાખની માલમતા ની ચોરી

નર્મદા જીલ્લા ના સેલંબા ગામે ચોરટા ઓ એ મનાવતા ને પણ અભરાઈ એ ચઢાવી દીધી હતી અને મોતનો મલાજો પણ સાચવવામાં ક્રુરતા દાખવી ને મૃતક જનો ના ઘર માથી રૂપિયા 4.65 લાખ ની ચોરી કરીહતી.

બનાવ ની વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં ઘરની તિજોરી માં મૂકેલા રૂપિયા ની ચોરી થતાં પોલીસ મથક મા ફરિયાદ દાખલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર હનીફભાઇ મેમણ,હાલ રહે. સેલંબા, ખેતીવાડી માર્કેટ ની સામે નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતાનું અવસાન થતાં તેઓ પરિવારજનો સાથે તેમની અંતિમવિધિ કરવા માટે ગયા હતા અને પોતાનું મકાન બંધ રાખ્યું હતું,
તે સમયે બંધ મકાનમા કોઇ ચોર ઇસમે ઘરના મેઇન દરવાજાનુ તાળુ તોડી તે પછી ઉપલા માળે રૂમનુ તાળુ તોડી આ રૂમમા આવેલ તિજોરીના ડ્રોવરનુ લોક તોડી તેમા મુકેલા રોકડા રૂપીયા ૪,૬૫,૦૦૦/- ની ચોરી કરી ચોરટા ફરાર થયા હતા, ઘરે પરત fr5a ચોરી થયા નુ માલુમ પડતા સાગબારા પોલીસ મથક મા ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ચોરી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here