પંચમહાલ જિલ્લામાં માનવભક્ષી કોરોના નિશ્ચિત હાર તરફ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

આજે પણ કોરોના સંક્રમણનો એકેય નવો કેસ નહીં

બાકી રહેલા 19 સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ

તંત્રના સઘન પ્રયાસોના પરિણામે પંચમહાલ જિલ્લામાં કોરોનાની સ્થિતિ સતત નબળી પડી રહી છે. આજે પણ જિલ્લામાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી જ્યારે સામે પક્ષે ચાર દર્દીઓને સારવાર બાદ સ્વગૃહે પરત ફરવાની રજા મળતા જિલ્લાના કુલ સક્રિય સંક્રમિત દર્દીઓની સંખ્યા 19 રહેવા પામી છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના સંક્રમણના કુલ 3951 નોંધાયા છે, જ્યારે સારવાર બાદ કુલ 3792 દર્દીઓ કોરોનાને આકરી શિકસ્ત આપી ઘરે પાછા ફર્યા છે. અત્યાર સુધી જિલ્લાના શહેરી વિસ્તારોમાં 2888 કેસો અને ગ્રામીણ વિસ્તારોમાં 1063 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here