પંચમહાલ જિલ્લામાં ગતરોજ કોરોના સંક્રમણના નવા ૨૯ કેસો સામે આવ્યા,૨૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

હાલની સ્થિતિએ જિલ્લામાં ૨૨૯ સક્રિય કેસો કુલ કેસનો આંક ૨૨૨૦ થયો, કુલ ૧૮૮૯ વ્યક્તિઓ કોરોનાને પછડાટ આપી

પંચમહાલ જિલ્લામાં ગતરોજ કોવિડ-૧૯ સંક્રમણના ૨૯ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૨૨૦ થઈ છે. આજે ૨૯ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૨૨૯ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૩ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૬ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૧૨ અને હાલોલ શહેરમાંથી ૦૯ તેમજ કાલોલમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૭૬૫ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૨, કાલોલ ગ્રામ્યમાંથી ૦૨, હાલોલ ગ્રામ્યમાંથી ૦૧ અને જાંબુઘોડા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૨૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૮૮૯ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૨૯ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here