પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના 14 નવા કેસો નોંધાયા…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

109 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, કુલ કેસનો આંક 9467 થયો કોરોનાને પછડાટ આપી 8681 દર્દીઓ સ્વગૃહે પરત ફર્યા

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-19 સંક્રમણના નવા 14 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9467 થવા પામી છે. આજે 109 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 600 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા તમામ કેસો પૈકી ગોધરા શહેરમાંથી 01 અને હાલોલમાંથી 02 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5477 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરાના ગ્રામ્યમાંથી 01 કેસ, હાલોલ ગ્રામ્યમાંથી 01 કેસ, કાલોલ ગ્રામ્યમાંથી 04 કેસ, શહેરા ગ્રામ્યમાંથી 01 કેસ અને ઘોઘંબા ગ્રામ્યમાંથી 04 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા 3990 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 109 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 8681 થવા પામી છે. આજે 45 વર્ષથી ઉપરના કુલ 2460 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here