પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૧૭ કેસો નોંધાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ સક્રિય દર્દીઓનો આંક ૧૩૨

કુલ કેસનો આંક ૨૭૦૬ થયો કોરોનાને પછડાટ આપી ૨૪૫૪ દર્દીઓ સાજા થયા

પંચમહાલ જિલ્લામાં ગત રોજ કોવિડ-૧૯ સંક્રમણના ૧૭ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૭૦૬ થઈ છે. ૧૨ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૧૩૨ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૪ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૨, હાલોલ શહેરમાંથી ૧૦ કેસ અને કાલોલમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૯૮૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૧, હાલોલ ગ્રામ્યમાંથી ૦૧ અને શહેરા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૨૪૫૪ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૩૨ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here