કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતમાં 4 મહિનાથી તલાટી કમ મંત્રી શ્રી સતત ઘેર હાજર છે અને બારમા મહિનાથી વહીવટી ની નિમણુક થયેલ તે પણ આજ સુધી ગ્રામ પંચાયતમાં આવેલ નથી.ચાલાલીના ગ્રામજનો ને પડતી મુશ્કેલી સામે તંત્રના આખ આડા કાન કરી રહ્યા છે ચલાલી ગામમાં હાલ ગણી મુશ્કેલીઓ પડી રહી છે હાલ પાણી ના પણ ફાફા પડી રહ્યા છે પાંચ લીટર પાણી લેવા માટે બે,ત્રણ કિલોમીટર ચાલી ને જવું પડે છે ત્યારે પાંચ લીટર પાણી નસીબ થાય છે ત્યારે હવે ગ્રામજનો સાથે મળી તલાટી ખોવાયેલ છે તેવા બેનર લગાવવામાં આવ્યા છે ચલાલી ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટ્રાચાર દબાવવા નો પ્રયાસ થઈ રહ્યો તેવું સ્પષ્ટ જણાય આવે છે કોઈ ગ્રામસભા પણ કરવામાં આવતી નથી તેવું ગ્રામજનો દ્રારા જાણવા મળેલ છે.