નારૂકોટ, (પંચમહાલ) લિયાક્તખાન પઠાણ :-
આજ રોજ ૫ સપ્ટેમ્બર ૨૦૨૨ એટલે કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ જેને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. કારણ કે એક શિક્ષક જ સાચા અર્થે વિદ્યાર્થીનું સિંચન કરી શકે છે માટે જ શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો, શિક્ષક હંમેશા સર્વોપરી હોય છે. વિશ્વનો કોઈ પણ વ્યક્તિ હોય કે જેણે ગમે તે ખ્યાતિ મેળવી હોય… એ સૌથી મોટો સાયન્ટીસ્ટ હોય, રમતવીર હોય, કલેકટર હોય કે પછી મોટો અમલદાર હોય એ સૌ ના ઘડતર અને સિંચનમાં મહત્તમ ફાળો એક શિક્ષકનો જ હોય છે જેને ધ્યાનમાં રાખી આજરોજ સમસ્ત ભારત સહિત નારૂકોટ ડોન બોસ્કો ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પણ શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને તેમના સહસાથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. આજના તમામ શિક્ષકો દ્વારા ખૂબ જ સારી તૈયારી કરીને ખૂબ જ આકર્ષક અને સરળ રીતે શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું. ખૂબજ બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસમાં ભાગ લીધો હતો. તેમજ શાળા બાળકોએ ડાન્સ તથા ગરબા રમી શિક્ષકો નું સન્માન કર્યું હતું, શાળા દ્વારા આવા તમામ શિક્ષકો અને સ્ટાફને સર્ટિફિકેટ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં શાળાના ટ્રસ્ટી ગણ,હેડ, શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા. આજ રોજ શાળાના તમામ શિક્ષકોને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.