નર્મદા નદી ઉપર ગરૂડેશ્વર ખાતે વિયર ડેમ નિર્માણથી નુકશાનની ફરિયાદો ઉઠતાં સરકારે રૂપિયા 20 કરોડ મંજૂર કર્યા

ગરુડેશ્વર,(નર્મદા)
આશિક પઠાણ

ગરૂડેશ્વર ખાતે નદીની બન્ને બાજુ કોંક્રીટની મજબુત સંરક્ષણ દિવાલની કામગીરી શરુ

નર્મદા ડેમ માથી પાણી છોડતા ગરૂડેશ્વર ખાતે પૌરાણિક મંદિરો ખેતીની જમીનોને ભારે નુકશાનની ફરિયાદો ઉઠતાં સરકાર નુ સરાહનીય પગલું

76 મીટર ની લંબાઈ 27 થી 32 મીટરની ઉંચાઈ વાળી દિવાલ નર્મદા નિગમ દ્વારા બનાવવાની કામગીરી શરુ કરાઇ

નર્મદા ડેમ ખાતે થી નર્મદા નદી મા પાણી છોડતા ગરુડૈશવર ખાતે નવા બનાવવામા આવી રહેલા વિયર ડેમ ના લીધે ગરુડૈશવર ખાતે ના પૌરાણિક મંદિરો સહિત ખેડુતો ની જમીનો ને ભારે નુકસાન થતા ખેતી ના પાક ને નુકશાન થતા આસપાસ ના વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી ઑ મા સરકાર પ્રતયે ભારે નારાજગીજોવા મળી હતી જેને ગંભીરતાથી લેતા સરકારે રુપિયા 20 કરોડ જેટલી રકમ નર્મદા નદી ના બન્ને કિનારે સંરક્ષણ દિવાલ માટે ફાળવેલ હોય ને સમસ્યા નુ નિરાકરણ લાવવાની દિશા મા સરકાર દ્વારા સરાહનીય પગલું ઉઠાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે.

લોકલાગણીને માન આપી ગરુડેશ્વર પાસે રૂ, ૨૦ કરોડના અંદાજીત ખર્ચે નર્મદાના બન્ને કાંઠે કોંક્રીટની મજબૂત સંરક્ષણ દિવાલનું કામ શરૂ કરી દેવામાં આવેલ છે નર્મદા નદીના જમણી બાજુના કાંઠે ગરુડેશ્વર ખાતે શ્રી ગરુડેશ્વર દત્ત સંસ્થાન તથા તેની આજુ બાજુના વિસ્તારને નર્મદા નદીના ભારે પૂરથી સંરક્ષિત કરવા માટે સ્થાનિક લોકો તથા અનેક શ્રધ્ધાળુઓની રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નદીના બન્ને કાંઠે મજબુત સંરક્ષણ દિવાલ બનાવવાનો નિર્ણય કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વર ખાતે શ્રી દત્તમંદિરનું પૌરાણિક સ્થળ તથા શ્રી વાસુદેવાનંદ સરસ્વતીનું સમાધિ મંદિર આવેલું છે જ્યાંથી નીચે નર્મદા નદી સુધી જવા માટે પગથીયા તેમજ મહારાણી અહલ્યાબાઇ ઘાટ આવેલો છે.જે અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર છે. જેને નર્મદા ડેમ માથી પાણી છોડતા ભારે નુકસાન થયું હતું.

જમણા કાંઠાના આ વિસ્તારને નર્મદા નદીમાં પૂરને કારણે નુકશાનથી બચાવવા માટે તથા નદીના ડાબા કાંઠે આવેલ ઇન્દ્રવર્ણા ગામના કાંઠા વિસ્તારને નુકશાન થતું અટકાવવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી. મુખ્યમંત્રી દ્વારા આ લોકલાગણીને તથા આસ્થાને ધ્યાને લઈ કાંઠાના વિસ્તારોનું ધોવાણ થતું અટકાવવા માટે જરૂરી કાર્યવાહી માટે સૂચના આપવામાં આવેલ હતી. સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ ધ્વારા નદી કાંઠા ઉપર કરવાની થતી આ કામગીરી તેના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ના હોવા છતાં બન્ને તરફ ૭૬ મીટર લંબાઈમાં સંરક્ષણ દિવાલોનું કામ અંદાજીત રૂ. ૨૦ કરોડના ખર્ચે તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું છે. ૨૭ થી ૩૨ મીટર ઉંચાઈ ધરાવતી એટલે કે ૯ થી ૧૧ માળના મકાન જેટલી ઉંચાઈ ધરાવતી કોંક્રીટની આ મહાકાય સંરક્ષણ દિવાલો બનવાથી જમણા કાંઠા પરના ગરુડેશ્વર દત્ત સંસ્થાન, સમાધિ સ્થળ તથા તેની આસપાસનો વિસ્તાર તેમજ ડાબા કાંઠે ઈન્દ્રવર્ણા ગામ કે જ્યાં નર્મદા પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તેના નદી કાંઠે ના વિસ્તારમાં પુર થી થતાં નુકશાન ને આ સંરક્ષણ દિવાલ બનતાં અટકાવી શકાસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here