નર્મદા : જીલ્લામાં 91135 લોકોના ટેસ્ટ કરાયા, આજે નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ ૨ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ ૧૩ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા,આજે ૧૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨ જી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૨ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૦ દરદીઓને તા. ૨૯ મી એપ્રિલ, ૨૦૨૦ સુધી રજા અપાઇ છે. આમ, જિલ્લામાં કુલ-૧૨ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ- ૧૦ દરદીઓને અપાયેલી રજાને બાદ કરતાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ કુલ-૨ કેસના દરદીઓ સારવાર હેઠળ છે. ગઇકાલના ચકાસણી માટે મોકલાયેલ ૧૩ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે. જ્યારે આજે ૧૮ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલકક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૯૧,૧૩૫ વ્યક્તિઓનું સર્વે કરાયેલ છે, જેમાં શરદી-ખાંસીના ૧૭૦ દરદીઓ, તાવના ૪૮ દરદીઓ અને ડાયેરીયાના ૪૧ દદરીઓ ઉક્ત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here