નર્મદા જિલ્લો ઓરેન્જ ઝોનમાથી ગ્રીન ઝોન તરફ જવા અગ્રેસર…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં છેલ્લા 14 દિવસ દરમ્યાન નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૧૭ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યા : આજે ૨૨ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૭૨,૮૬૨ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૮૮ જેટલા જરૂરિયાતવાળા દરદીઓને અપાઈ સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૭ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં એક પણ કોરોના પોઝીટીવ કેસ નથી. ગઇકાલના ચકાસણી માટે મોકલાયેલ ૧૭ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે. જ્યારે આજે ૨૨ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલકક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વધુ માહિતી મુજબ નર્મદા જિલ્લામાં આજે તા. ૭ મી મે, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૨,૮૬૨ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૦૭ દરદીઓ, તાવના ૫૨ (બાવન) દરદીઓ અને ડાયેરીયાના ૨૮ દરદીઓ અને શ્વાસ લેવામાં તકલીફ (બ્રેથલેશનેસ) ના ૦૧ દરદી સહિત કુલ – ૧૮૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here