નર્મદા જિલ્લા માટે રાહતના સમાચાર..આજે કોરોનાનો નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

આજે ૬ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા….

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૬ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૨ પોઝિટીવ કેસ પૈકી આજની સ્થિતિએ ૧૧ દરદીઓ સારવાર હેઠળ છે, જ્યારે ગઇકાલે એક દરદીને સાજા થતા અંકલેશ્વરની જયાબેન મોદી (કોવીડ) હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી.

તદઉપરાંત આજે ૬ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવેલ હોવાની જાણકારી પણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here