નર્મદા જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ ની રીપીટર/ખાનગી પૃથક ઉમેદવારોની પરીક્ષાના આયોજન સંદર્ભે તા.૧૨ મી જુલાઇએ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાશે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં તા.૧૫/૦૭/૨૦૨૧ થી તા.૨૮/૦૭/૨૦૨૧ સુધી લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨(સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) ની રીપીટર/ખાનગી પૃથક ઉમેદવારોની પરીક્ષા શાંતિ પૂર્ણ વાતરવરણમાં યોજાય અને તેનું સુચારૂ સંચાલન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક તા.૧૨ મી જુલાઇ,૨૦૨૧ ને સોમવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, નર્મદા-રાજપીપલા તરફથીજાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here