નર્મદા જિલ્લામાં આજે ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ દર્દીનો આંક 4167 ઉપર પહોંચ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જીલ્લામા મૃત્યુ આંકે સેન્ચ્યુરી વટાવી ગતરોજ મૃત્યુ આંક 89 ઉપર હયો જે આજે 11 ના મોત ના આંક સાથે 100 ઉપર પહોંચ્યો

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૧ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૬ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૪ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૨૬, હોમ આઇસોલેશનમા ૧૫૯ દરદીઓ, CHC ખાતે ૦૫ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૬ દરદીઓ સહિત કુલ-૨૩૦ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૨,૫૮૯ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૨૬૨ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

નર્મદા જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઑ ની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે જે સાથે આજરોજ તો મૃત્યુ ના આક મા પણ વધારો થયા નુ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે .જીલ્લા મા કુલ મૃત્યુ આંક જે ગતરોજ 89 નો હતો જેમા આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ પોતાના સત્તાવાર આંકડા ઓ જાહેર કરતા 100 ઉપર પહોંચ્યો હોવાનું જણાવ્યું છે . એટલે આજરોજ વધુ 11 દર્દીઓ ના મોત નિપજ્યા છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૫ મી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ સહિત કુલ-૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક 4167 ઉપર પહોંચ્યો છે.મૃત્યુ ના દર્દી મા આજરોજ અચાનક વધારો નોંધાયો હતો

.રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૧ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૧૬ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૫૯ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૪ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૨૬, CHC ખાતે ૦૫ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૬ દરદીઓ સહિત કુલ-૨૩૦ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૭૮૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૯૦ સહિત કુલ-૧૪૭૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૫૪, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૦ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૬ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૫ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૨,૫૮૯ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૬૨ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૮૯૮૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૩૬૫૮ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here