નર્મદા : કોરોના પોઝિટિવ કુલ 11 કેસ પૈકી એકની હાલત લથડતા વડોદરા ખસેડાયો…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

આજે નર્મદા જિલ્લામાં નવા કોઈ કેસ નોંધાયા નથી

આજે સવારે પ્રાપ્ત થયેલ ૩૭ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૨ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે વધુ નવા કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ દરદીઓની કુલ સંખ્યા– ૧૧ પૈકી એક સિરીયસ દરદીને આજે વડોદરાની ગોત્રી – GMERS હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ છે. જિલ્લામાં આજે નવા કોઇ હોમ ક્વોરોન્ટાઇન કે આયુર્વેદિક કોલેજ બોય્ઝ હોસ્ટેલ ફેસેલીટી બેઝ હેઠળ કોરોન્ટાઇનમાં આવેલ નથી. તેની સાથોસાથ જુના ફેસેલીટી બેઝ કોરોન્ટાઇન હેઠળની કોઇ વ્યક્તિને રજા અપાઇ નથી કે હોમ કોરોન્ટાઇન હેઠળની કોઇ વ્યક્તિનો ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થતો નથી એટલે આજની સ્થિતિએ જિલ્લામાં કુલ ૧૦૩ વ્યક્તિઓ કોરોન્ટાઇન હેઠળ છે.
તદ્દઉપરાંત આજે સવારે પ્રાપ્ત થયેલ ૩૭ સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હોવાની જાણકારી નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here