નર્મદા : આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ ક્વોરોન્ટાઇન હેઠળની ૨૫ વ્યક્તિઓને આજે રજા અપાઇ…

રાજપીપળા,

પ્રતિનિધિ : આશિક પઠાણ

જિલ્લામાં આજની સ્થિતિએ કુલ ૧૨૭ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ

આજે નવા વધુ કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી : આજની સ્થિતિએ જિલ્લામાં કુલ- ૧૧ પોઝીટીવ કેસ

ગઇકાલે સાંજે ચકાસણી માટે મોકલાયેલા ૧૩૩ સેમ્પલ : આજે સાંજે પ્રાપ્ત થયેલા ૫૭ રિપોર્ટ નેગેટીવ

રાજપીપલા,રવિવાર :- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧૯ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે વધુ નવા કોઇ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ દરદીઓની સંખ્યા– ૧૧ છે. જિલ્લામાં આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસેલીટી બેઝ કોરોન્ટાઇન હેઠળની ૨૫ વ્યક્તિઓને આજે રજા અપાઇ છે, જેથી આજની સ્થિતિએ કુલ- ૧૨૭ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ગઇકાલે તા.૧૮ મી એપ્રિલના રોજ સાંજે ૧૩૩ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે આજે સાંજે ૫૭ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here