શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
શહેરા તાલુકાની ધામણોદ પ્રા.શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા અરવિંદસિંહ ચંદ્રસિંહ પટેલનું તા.5 જાન્યુઆરી 2022 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી સહકારી મંડળી લિમિટેડ દ્વારા લાભાલાભ ફાળો કલ્યાણ નિધિ અંતર્ગત સ્વર્ગસ્થ પરિવારને ₹.300000/- (ત્રણ લાખ)ની સહાય કરવાની જોગવાઈ કરેલ છે.જે અંતગર્ત ચેરમેન અર્જુનસિંહ સી.બારીઆ, વાઈઝ ચેરમેનશ્ ભરતભાઈ એન.પટેલ, બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, બીટ કેળવણી નિરીક્ષકશ્રી સરદારભાઈ વણઝારા, સહિત શાળાના આચાર્યો, શિક્ષકઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષણ પરીવાર અને સંઘઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી મૌનવ્રત રહી શ્રદ્ધાંજલી પાઠવી સતલોકવાસી સ્વર્ગસ્થ અરવિંદસિંહ પટેલના સુપુત્ર દીનેશકુમાર અરવિંદસિંહ પટેલ અને તેમના ધર્મપત્નીને ₹.300000 /- (અકે રૂપિયા ત્રણ લાખ પુરા) મુજબ પરિવારના કલ્યાણ અર્થ કલ્યાણ નિધિ સહાયનો ચેક અર્પણ કરી લોક હિતનું કાર્ય કર્યું હતું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ ધી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારી સહકારી મંડળી લિમિટેડના ચેરમેનશ્રી, વાઈઝ ચેરમેનશ્રી તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યો તેમજ શિક્ષણ પરિવારના ઉત્કૃષ્ઠ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.