દેડિયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-
સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી માં થયેલ ઝઘડા ના મામલે અદાલતી હુકમ
નર્મદા જીલ્લા ની દેડિયાપાડા વિધાનસભા બેઠક ઉપર વિજેતા જાહેર થયેલ આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 ઈસમો ને મારામારી અને લૂટ ના મામલે રાજપીપળા ની સેશન્સ કોર્ટે 6 મહિનાની સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે,
બનાવ ની વાત કરીએ તો વર્ષ 2021 ના સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સમયે થયેલા ઝગડા બાબતે બોગજ ગામના ફરિયાદી સતિષ કુંવરજી વસાવા એ ચૈતરવસાવા સહિત 10 ના ટોળા સામે ડેડીયાપાડા પોલીસ મથક મા નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ 19-12-2021 ના રોજ વહેલી સવારે પોતાના ઘર આગળ ફળિયા ના અન્ય 6 માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા એ સમયે તેમના જ ગામ ના ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સહિત અન્ય 10 જણાનું ટોળું ત્યાં ધસી આવી બુમો પાડી કહ્યું હતું કે “આ વખતે સરપંચ ની ચૂંટણી મા અમારો ઉમેદવાર ઉભો રાખેલ છે, તમે અને તમારા ઉમેદવાર કેવી રીતે જીતે છે, તે અમે જોઈ લઈશું. એ રીતે કીકીયારીઓ પાડી દોડી આવેલા અને ગમે તેમ ગાળો બોલી તેમની સાથેના ટોળા માણસ હોય અમને બધાને તમને મારી નાખવાના છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી માથાના વાળ પકડી જમીન પર પાડી દીધેલ અને ટીકા પડવું માટે માર મારતા અને સળગતા લાકડાથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો ત્યારે ટોળામાના શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિત નાઓ એ ફરિયાદી અને ફરિયાદી સાથે તાપણું કરવા બેસેલા અન્ય ને પણ ગડદા પાટુ નો માર માર્યા ની તમામ રહેવાસી બોગજ તાલુકો ડેડીયાપાડા નાઓ ફરિયાદી ઉપર તૂટી પડેલાને ગદડાં પાટુનો માર માર્યા ની હકીકત પોલીસ સમક્ષ ફરિયાદ રૂપે લખાવી ન્યાય ની માંગણી કરી હતી.
આ મામલા માં રાજકિય પ્રત્યાઘાતો પણ પડ્યા હતા, જેતે સમયે જયારે આ બનાવ બન્યો ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા BTP સાથે સંકળાયેલ હતા, સામા પક્ષે ભાજપા ના કાર્યકરો હોય ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા માંરધાડ થયા બાદ બોગજ ગામે પહોંચ્યા હતાં,અને સમગ્ર પ્રકરણ રાજકિય રંગે રંગાયેલો અને ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. અને પોલીસ મથક મા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ નર્મદા જિલ્લા ની રાજપીપળા સેશન્સ કોર્ટ સમક્ષ ચાલી જતા,જજ આર.એન.જોશી એ ડેડીયાપાડા ના ધારસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 ને 6 માસ ની સાદી કેદ અને 1 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો.પરંતુ ચૈતર વસાવા સહિત અન્ય 10 ઈસમો ને સજા ભોગવવા ની જરૂરિયાત રહેશે નહીં ને તેની જગ્યા એ તેમણે એ સી.આર.પી.સી ની કલમ 360 મુજબ સારી વર્તુણક માટે શરતો ને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક ને રૂ.20,000/- ના જાત જામીન આપવાનાં અને દંડ ની રકમ 15 દિવસ મા કોર્ટ માં જમા કરાવવાની રહેશે તેવો ચુકાદો કોર્ટે આપ્યો છે.