જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સૌજન્યથી અલવા ગામે રંગલા અને રંગલીના ભવાઈ કાર્યક્રમ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તા.૩૦/૦૯/૨૦૨૨ના રોજ અંબાજી ખાતે યોજાનાર પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાં અંતર્ગત કાલોલ તાલુકાના વિવિધ ગામોમાં ભિત ચિત્ર , શેરી નાટક, ભીતસૂત્ર, સ્વચ્છતા રેલી, રંગલા અને રંગલીની ભવાઈ વગેરે જેવી કામગીરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ ના સૌજન્યથી કરવામાં આવેલ છે છે ત્યારે તેના અનુસંધાનમાં આજરોજ અલવા,સણસોલી વગેરે ગામમાં રંગલા અને રંગલીની ભવાઈ નાટક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યાં અને નાટક દ્વારા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી 30 તારીખના રોજ લાઈવ થશે ત્યારે વધુમાં વધુ લોકો કાર્યક્રમમાં જોડાઈ સીધાં તેમની સાથે વાતચીત પણ કરી શકશે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here