છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર શહેર યુવા મોરચા માધ્યમથી આજરોજ છોટાઉદેપુર શહેરના સુપ્રસિદ્ધ જાગનાથ મંદિર ખાતે વૃક્ષારોપણ નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો જેમાં જિલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, શહેર પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર મુકેશ કિરમાણી, યુવા મોરચા પ્રમુખ સચિન તડવી, યુવા મોરચા જિલ્લા ના મહામંત્રી આકાશઉદવાણી તેમજ વગેરે કાર્યકર્તા દ્વારા જાગનાથ મંદિર ખાતે વૃક્ષારોપણ કરી સેવા સપ્તાહની ઉજવણી કરી હતી અને તેમણે જણાવ્યું હતું જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી બે બે દિવસે આવી અલગ અલગ કાર્યકર્તા વાવેલા વૃક્ષોને પાણી આપી તેમનું જતન કરશે તેઓ પણ સંકલ્પ છોટાઉદેપુર શહેર ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવ્યો હતો.