કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ઘેલાપુરી આશ્રમના મહંત અને સનાતન ધર્મ નાં સંત પૂશ્રી કલ્યાણદાસજી મહારાજ નુ અવસાન થવાથી સમગ્ર કાલોલ તાલુકા અને આસપાસના વિસ્તારના ભક્તોમાં ધેરા શોક ની લાગણી વ્યાપી ગઈ છે.
જેમને ગીતાજી જેવા જીવનગ્રંથને પોતાના જીવનમાં આત્મસાત કરી ગીતાજીના વિચારો થકી લાખોના જીવન ઉજાગર કર્યા છે એવા સંત શ્રી કલ્યાણદાસ બાપુની અંતિમયાત્રા આવતીકાલે શુક્રવારે રાખવામા આવી હોવાની માહીતી મળી છે.