ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
આજ રોજ ગોધરા ખાતે આવેલ સ્ટેટ બેંક મુખ્ય શાખા ખાતે બેંક મેનેજર રાજેશ યાદવ ની અધ્યક્ષતામાં પેંશનર સભા યોજવામાં આવી હતી જેમાં ગોધરા તાલુકા નિવૃત્ત કૅમચારી મંડળ ના હોદ્દેદારો, સભ્યો અને પેંશનરો ઉપસ્થિત રહ્યા હતા અને પોત પોતાની રજુઆતો કરવામાં આવી હતી જેમાં ખુશાલ શ્રીમાળી અને અબ્દુલ મુનાફ ભાઈ શેખ સહીત ના પેંશનરો એ સીનીયર સીટીઝનો માટે તારીખ ૧ થી ૧૦ સુધી પેંશન સહીત ની બેંક ની લેવદ દેવદ માટે અલગ કાઉન્ટર ની માંગ સાથે તેમજ પાસ બુક માં એન્ટ્રી ની સમસ્યા ઓ દુર કરવા તેમજ સીનીયર સીટીઝન માં હયાતી ના ફોમૅ માં પડતી તકલીફો દૂર કરવાની રજૂઆત કરવામાં આવી હતી જે માંગણી ઓ ને સ્થળ ઉપર જ સ્વીકારી લીધી હતી અને અત્યારે ને અત્યારે જ પેંશનરો ની માંગણી ઓ માટે કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું હતું અને પેંશનરો માટે બેસવા માટે સોફા ની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને ખાત્રી આપવામાં આવી હતી અને કોઈ પણ પેંશનરો ને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો બે ધડક મારી ઓફીસ માં આવી શકો છો તેમ જણાવ્યું હતું આ વખતે બેંકનાં લોન મેનેજર મહીરાજસીંહ ડાભી એ પણ બેંક ની કામગીરી વીશે માહીતી આપી હતી આ વખતે ગોધરા તાલુકા નીવુૅત કૅમચારી મંડળ ના હોદ્દેદારો પ્રમુખ ફતેસીંહ બારીયા, મહામંત્રી અબ્દુલ મુનાફ શેખ, ખજાનચી ખુશાલ ભાઈ શ્રીમાળી સહીત ના હોદ્દેદારો અને પેંશનરો એ બેંક મેનેજર રાજેશ યાદવ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આપે જે રીતે અમારી માંગણી ઓ ને સ્વીકારી અમો ને ન્યાય આપ્યો છે તેજ રીતે ભવિષ્યમાં પણ સાથ સહકાર આપતા રહેશો તેવી અપેક્ષા દાખવી હતી સાથે સાથે પેંશનરો દ્વારા મહીરાજસીંહ ડાભી અને બેંક સ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો.