રાજપીપલા,
પ્રતિનિધિ :- આશિક પઠાણ
1લી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ કોરોના અને લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા કોઈ પણ જાતની ઉજવણી કરવામાં આવી નહોતી, પરંતુ રાજય સરકારના સનદી અધિકારીઓએ કોરોનાને મ્હાત આપવાના સંકલ્પ કર્યા હતા.
ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સંકલ્પ લઉં છું કે…
હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ.
હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ.
હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ.
જેવા શબ્દોનો સંકલ્પમા ઉચ્ચારણ કરાયો હતો.નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસે પણ સંકલ્પ લીધા હતા.