કોરોનાને કારણે અવસાન પામેલ પૂર્વ સૈનિકો, દિવગંત સૈનિકોના ધર્મપત્નીઓના આશ્રિતોને સહાય મળવાપાત્ર

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવટ કચેરી, પંચમહાલ (ગોધરા)નો સંપર્ક કરવાનો રહેશે

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, પંચમહાલ (ગોધરા)ની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જિલ્લાઓ પંચમહાલ, મહિસાગર અને દાહોદમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, દિવગંત સૈનિકોના ધર્મપત્નીઓના કોરોનાના કારણે અવસાન બાદ તેમના આશ્રિતોને રાજ્ય સૈનિક બોર્ડ તરફથી મરણોત્તર સહાય અને અન્ય સહાય મળવાપાત્ર થાય છે. તો આ સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે પૂર્વ સૈનિક/વિધવા બહેનનું આઈ કાર્ડ, મૃત્યુનું પ્રમાણપત્ર, પીપીઓ, ડિસ્ચાર્જ બુક અને પેન્શન ખાતાની બેંક પાસબુક સાથે વધુ માહિતી માટે જિલ્લા સેનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, પંચમહાલ (ગોધરા)નો રૂબરૂ અથવા ટેલિફોન નં. 02672 240580 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here