કાલોલ નગરપાલિકાએ જાહેરનામનો ભંગ કરતા ૨૦ વેપારીઓની દુકાનો બંધ કરાવી દંડ ફટકાર્યો…

કાલોલ,(પંચમહાલ)

પ્રતિનિધિ :- મુસ્તફા મિરઝા

આવશ્યક ચીજો સિવાયની દુકાનો ખોલી બેઠેલા વેપારીઓને સૂચના આપી દુકાન બંધ કરાવી સ્થળ ઉપર જ દંડની વસુલાત કરી હતી પાલિકા દ્વારા કુલ ૨૦ જેટલા વેપારીઓ પાસેથી રૂ ૪,૦૦૦/ નો દંડ વસુલ કરાયો

પ્રવર્તમાન સમયમાં માનવભક્ષી એવા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી દીધો છે, આજદિન સુધી સમસ્ત દુનિયામાં લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી સંક્રમિત થયા છે જયારે એક લાખથી પણ વધુ લોકેએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ વિશ્વ સહીત ભારત સરકાર પણ કોરોનાથી મુક્તિ મેળવવા અથાગ મેહનત કરી રહી છે તેમજ સમગ્ર દેશમાં 25 માર્ચથી લાગુ કરેલ લોકડાઉનને ત્રીજા ચરણ સુધી એટલે કે 17 મેં સુધી વધારી દેવામાં આવ્યો છે તેમછતાં ભારત સહીત ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓમાં લગાતાર વધારો નોંધાઈ રહ્યો છે, અને રેડ ઝોનમાં સમાવેશ કરાયેલ પંચમહાલ જીલ્લામાં આજ સુધી કોરોના સંક્રમીતોનો આંક 60 ઉપર પહોંચતા જીલ્લા પ્રસાશન દ્વારા લોકડાઉનના નિયમોને વધુ ચુસ્ત બનાવી દેવામાં આવ્યા છે.

જેથી કાલોલ નગરપાલિકા દ્વારા જીલ્લા મેજિસ્ટ્રેટ ના તા ૦૪/૦૫/૨૦૨૦ ના રોજ ના જાહેરનામા નો કડક અમલ કરાવતા શનિવારના રોજ આકસ્મિક ચેકીંગ હાથ ધરીને વિવિધ વિસ્તારોમાં જઈ આવશ્યક ચીજો સિવાય ની દુકાનો ખોલી બેઠેલા વેપારીઓ ને સૂચના આપી દુકાન બંધ કરાવી સ્થળ ઉપર જ દંડ ની વસુલાત કરી હતી પાલિકા દ્વારા કુલ ૨૦ જેટલા વેપારીઓ પાસેથી રૂ ૪,૦૦૦/ નો દંડ વસુલ કર્યો હતો જોકે બિન આવશ્યક ચીજો ના વેપારીઓ વહેલી સવારથી જ પોતાની દુકાનો ખોલી દેતા હોય છે જેઓ પાલિકાની ટીમ આવતા અગાઉ જ પોતાની દુકાન બંધ કરી દેતા હોય છે. જેથી વહેલી સવારથી જ નક્કર ચેકીંગ કરવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here