કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
કાલોલ તાલુકાના ધારાસભ્ય સુમનબેન ચૌહાણે માતાજીના રથની આરતી ઉતારી સંઘને પ્રસ્થાન કરાવ્યું
કાલોલ તાલુકાના બોડીદ્રા ગામેથી ગુરુવારે સવારે માતાજીના રથ અને ધજા સાથે આયોજિત પગપાળા સંઘે અંબાજી ધામ જવા માટે પ્રસ્થાન કર્યું છે. બોડીદ્રા ગામના માઈભક્તો દ્વારા પાછલા ઘણા વર્ષથી ભાદરવા માસમાં પગપાળા અંબાજી માતાજીના દર્શને જાય છે, પરંતુ આ વર્ષે ગામના એક અનિચ્છનીય બનાવને કારણે પંદર દિવસ પછી પણ સંઘ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ગ્રામજનોએ માતાજીના રથ સહિતની પુર્વ તૈયારીઓ મુજબ ગામના ૫૧ જેટલા ભાવિભક્તો પગપાળા સંઘમાં જોડાયા છે. જેના આયોજન મુજબ પગપાળા નીકળતા સંઘને ગુરુવારે સવારે સંઘના પ્રસ્થાન સમયે કાલોલ તાલુકા ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને પંચમહાલ જિલ્લા નાની સિંચાઇ યોજનાના ચેરમેન પ્રવિણસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ માતાજીના રથની આરતી ઉતારી સફળ યાત્રાની શુભેચ્છાઓ પાઠવી ‘બોલ મારી અબે ,જય જગદંબે ‘ના નાદથી સંઘયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બોડીદ્રા ગામેથી નિકળેલા પગપાળા સંઘના યાત્રાળુઓ આઠ નવ દિવસનો પગપાળા પ્રવાસ ખેડીને અંબાજીધામ પહોંચી માતાજીને ધજા ચઢાવી માતાજીના દર્શન કરીને પરત ફરશે.