કાલોલ તાલુકાના અલવા ગામના ૩૨ વર્ષિય ઇસમને‌ ઘરના પતરાનો કરંટ લાગતાં મોત નિપજ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના અલવા ગામના સંતોષભાઈ જીવણભાઈ સોલંકી (ઉ.વ ૩૨) સોમવારે બપોરે પરિવાર સાથે જમી પરવારીને ઘરની બહાર નીકળતા સમયે સહજ રીતે ઘરના પરસાળ પર ઢાંકેલા પતરાંના નેવાંના ભાગે પકડીને ઉભા રહેવાની સહજ ક્રિયાએ પતરાંને પકડવા જતાં વીજ કરંટ લાગ્યો હતો જેમને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે એ પહેલાં સંતોષ સોલંકીનું મોત નિપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના એક સંતાનના સુખ સાથે ઠરીઠામ થયેલા પરિવારનું ગુજરાન ચલાવતા જુવાનજોધ પતિને અચાનક કરંટ લાગવાથી મોત નિપજતા ખુશખુશાલ પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. જે ઘટના અંગે કાલોલ પોલીસમાં જાણ કરતાં પોલીસે અકસ્માતનો મોતની ફરિયાદ નોંધીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here