કાલોલ : તહેવારોનો રાજા એવા દિવાળીના તહેવારના આગમન પહેલા બજારોમાં સન્નાટો… મંદીના માહોલને જોઈ વેપારીઓ ટેન્શનમાં

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે કાલોલ બજારમાં કોઈ ઘરાકી જોવા મળતી નથી વેપારી વર્ગ દિવાળીના દિવસો નિમિત્તે નાણાંનું રોકાણ કરી ને થોડી ઘણી ઘરાકી છુટસે તેવી આશા માં થોડું-ઘણું રોકાણ કર્યું છે તેનો બદલો મળે તેવુ હાલમાં લાગી રહ્યું નથી કોરોના ના સામાન્ય દિવસો બાદ નોકરિયાત વર્ગ તથા કર્મચારી વર્ગ ને બોનસ આવ્યા બાદ કંઈક અંશે દિવાળીની ઘરાકી નીકળે તેવું લાગી રહ્યું છે હાલ માં કાપડના વેપારીઓ ગ્રાહકની રાહ જોઈને બેસી રહ્યા હોય તેવી મંદી નો માહોલ જોવા મળે છે. આ પરિસ્થિતિમાં વેપારીઓને મૂડીનું વ્યાજ પણ નીકળે નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here