કાલોલ (પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલના સમા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બુધવારે સાંજના સુમારે સ્ત્ર નો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો જેથી ગ્રામજનોએ અનેક શંકા-કુશંકા વ્યક્ત કરી હતી અને સ્થળ ઉપર લોકટોળા ભેગા થયા હતા ગ્રામજનોએ પોલીસને જાણ કરતા કાલોલ પોલીસે લાશને બહાર કઢાવી કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી કોઈ અજાણી સ્ત્રી કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં પડતા ડૂબી જતાં મરણ પામી હોવાનું બહાર આવ્યું હતું. સમાના ઉપેન્દ્રસિંહ ચાવડાએ કાલોલ પોલીસ મથકે નોંધ કરાવતા પોલીસે અકસ્માત મોતની જાણવા જોગ નોંધ કરી પી.એસ.આઈ એલ.એ પરમાર દ્વારા તપાસ શરૂ કરી છે.