અરબી સમુદ્ર તટે શ્રીહરિજી તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પંચામૃતથી અભિષેક સ્નાન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદાર પ્રવર્તમાન આચાર્યશ્રી જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી મુક્તજીવન સ્વામીબાપા મોક્ષદાયી સ્મૃતિયાત્રા” ૫૦૦ કરતા વધુ સંતો તથા દેશ વિદેશના હરિભકતોના વિશાળ સમુદાય સાથે દક્ષિણ ભારતનાં ત્રિવેન્દ્રમના સુપ્રખ્યાત જટાયુ અર્થ સેન્ટર તથા પદ્મનાભ મંદિરને પુનિત પદરેણુથી પાવન કરી. વળી, અરબી સમુદ્ર તટે શ્રીઠાકોરજીને પંચામૃતથી અભિષેક વિધિ કરવામાં આવ્યો હતો તેમજ સમુદ્રસ્નાન પણ કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ અનેરા ઉત્સાહથી લાભ માણ્યો હતો. સ્થાનિક તેમજ દેશ-વિદેશના અનેક ભાવિકો પણ ઉમંગભેર જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here