ગીધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે શિવ સંદેશ સપ્તાહ અંતર્ગત ગોધરા શહેર ખાતે તા.૧૭ ફેબ્રુઆરી સુધી બ્રહ્મા કુમારીઝ પરિવાર દ્વારા શિવ સંદેશ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૧૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭.૩૦ કલાકે કોમન પ્લોટ, પંચવટી રિક્ષા સ્ટેન્ડની બાજુમાં, સાંપા રોડ ખાતે,૧૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ કલાકે કોમન પ્લોટ, આનંદ નગર, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની આગળ,જાફરાબાદ ખાતે, ૧૫ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ કલાકે કોમન પ્લોટ,ગાયત્રી નગર,રોયલ રેસીડેન્સી પાસે, બમરોલી રોડ ખાતે,તા.૧૬
ફેબ્રુઆરીના રોજ સાંજે ૮ કલાકે કોમન પ્લોટ,અંશ વિલા રેસીડેન્સી, ગોવિંદી રોડ ખાતે, તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૫ કલાકે સત્સંગ ભવન,વરુણ દેવ ડેરીની ગલીમાં, ઝુલેલાલ સોસાયટી,લુણાવાડા રોડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. વધુ માહિતી માટે બ્રહ્માકુમારીઝ કેન્દ્રની મુલાકાત લેવા વિનંતિ છે.