હળવદ,
પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ
હળવદ તાલુકાના રણજીતગઢ ગામના દીકરી અને ધ્રાંગધ્રા તાલુકામાં આર.બી.એસ.કે. ડોકટર તરીકે ફરજ બજાવતા ડૉ નિમિષાબેન સોનગ્રાને ડેપ્યુટેશન પર અમદાવાદના કોરોનાગ્રસ્ત એવા હોટસ્પોટ વિસ્તાર શાહપુર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ફરજ પર મૂકેલ હતા તે દરમિયાન ડૉ. નિમિષાબેન અને ટીમના અન્ય સાથી દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી અને સાચા કોરોના વોરિયર તરીકે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી. આ સમયગાળા દરમિયાન ડૉ. નિમિષાબેન સહિત ડોકટર્સના કોરોના રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા ત્યારે ડૉ. નિમિષાબેનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવેલ પણ તેમની સાથે કામ કરતા અન્ય ડોકટર્સના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમને હોમ કોરોન્ટાઇન રહેવા માટે કહ્યું અને બહેન ધ્રાંગધ્રા ત્યાર બાદ હળવદ આવેલ ત્યાં હળવદ સામુહિક કેન્દ્ર ખાતે ફરી કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સદનસીબે તે બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવેલ અને ડૉ નિમિષાબેનને હોમ કોરોન્ટાઇન ૧૪ દિવસ રહેવાનું ફરજ પરના ડોકટર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું.ત્યારે હોમ કોરોન્ટાઇન માટે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેથી તાલુકા કોરોન્ટાઇન ફેસિલિટી મોર્ડન સ્કૂલ ખાતે ડૉ. નિમિષાબેનને રાખવામાં આવ્યા હતા અને તાલુકા વહીવટી તંત્ર એ પૂરતો સહકાર આપ્યો હતો એ દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કતીરા સહિત આરોગ્ય વિભાગના અધિકારી શ્રી એ કોરોન્ટાઇન સેન્ટરની મુલાકાત લીધી હતી ત્યારે આજે બહેનનો કોરોન્ટાઇન પિરિયડ પૂરો થતાં ડૉ. નિમિષાબેન દ્વારા ફરી કોરોના વોરિયર તરીકે ફરજ બજાવવાનો નિર્ણય કરતા નારીશક્તિના અદભુત દર્શન કરાવ્યા હતા ત્યારે ડૉ. નિમિષાબેન આજે ફરી ફરજ પર કોરોના વોરિયર તરીકે જવાનો નિર્ણય કરતા તેમનું અભિવાદન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ડૉ નિમિષાબેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા , મામલતદાર વી.કે.સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન ભટ્ટી, પી.આઈ સંદીપ ખાંભલા , ડૉ. સી.ટી પટેલ, ડૉ. સુનિલ કણઝરીયા, ડૉ ચાંદની પટેલ સહિત અધિકારી- પદાધિકારી ઉપસ્થિત રહી કોરોના વોરિયર ડૉ. નિમિષાબેનના ઉત્સાહમાં વધારો કર્યો હતો.