હળવદના નવા કડીયાણા ગામે બે જીઆરડીના જવાનોનો પરાક્રમ : શ્રમિકને બેફામ માર માર્યો

હળવદ,(મોરબી)
પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

શ્રમિકને બચાવવા વચ્ચે પડેલા ગામના પૂજારીને પણ માર માર્યો : લોકડાઉનની પરિસ્થિતિમાં વિના કારણે નિર્દોષ ગ્રામજનો ઉપર ત્રાસ ગુજારતા હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ : ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ ગામમાં દોડી જઈને ગ્રામજનોનો અંક્રોશ શાંત પાડી એસપીને રજુઆત કરી.

હળવદના નવા કડીયાણા ગામે બે જીઆરડીના જવાનોનોએ રીતસર આંતક મચાવીને મજૂરી કામ કરીને થાક્યા પાક્યા ઘરે જતા એક શ્રમિકને વિના કારણે હેરાન કરીને તેના પર ધોકા લઈને તૂટી પડ્યા હતા.જોકે આ શ્રમિકને બચાવવા વચ્ચે પડેલા ગામના પૂજારીને પણ બેફામ માર માર્યો હતો.આ ઘટનાને પગલે ગ્રામજનોએ ભેગા થઈને ભારે આક્રોશ ઠાલવ્યો હતો.જેથી ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ ગામમાં દોડી જઈને ગ્રામજનોનો અંક્રોશ શાંત પાડી એસપીને રજુઆત કરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના નવા કડીયાણા ગામે બે જીઆરડી જવાનોને લોકડાઉનની ફરજ માટે તૈનાત કરવામાં આવ્યા છે .પણ ગ્રામજનોમાંથી ઉઠતી ફરિયાદ મુજબ આ બન્ને જીઆરડી જવાનો લોકડાઉનની યોગ્ય ફરજ નિભાવવાની બદલે વારંવાર ખોટા લખણ ઝલકાવે છે.જેમાં બને જીઆરડી જવાનો ગ્રામજનોને વિના કારણે હેરાન કરે છે.જેમાં ગામમાં નીકળતી બહેનો અને દીકરીઓ પર ખોટી નજર બગડી તેમના ફોટા પણ પાડે છે.તેમજ માવા ઘરમાં રાખ્યા છે તેમ કહીને કોઈના પણ ઘરમાં ઘુસી જઈને જડતી લે છે.આ પ્રકારનો લોકડાઉન પરિસ્થિતિથી જ ત્રાસ ગુજરાતા હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે.આમ છતાં પણ ગ્રામજનો બન્ને જીઆરડીનો ત્રાસ ચૂપચાપ સહન કરતા હતા.તેથી આજે તો આ બન્ને જીઆરડી જવાનોએ હદ પાર કરી દીધી હતી.

ગામમાં રહેતા ભીખાભાઈ મગનભાઈ કોળી આજે બપોરના સમયે મજૂરી કામ કરીને ઘરે પરત આવી રહ્યા હતા અને બપોરનો તાપ હોવાથી અને કામમાં થાકી ગયા હોવાથી તેઓ ગામની પાદરે થોડીવાર છાયે બેસીને પરત ઘરે જવા નીકળ્યા હતા.એટલી વારમાં જ બન્ને જીઆરડી જવાનો તેમની પાસે પહોંચી ગયા અને કોઈ મોટો ગુનો કર્યો હોય એમ આ નિર્દોષ શ્રમિકની ઉલટ તપાસ કરીને પૂછપરછ કર્યા બાદ ઓચિંતા જ આવેશમાં આવીને બન્ને ધોકા વડે આ શ્રમિક પર તૂટી પડ્યા હતા.તેથી શ્રમિકને માર મારતા જોઈને ગામના પૂજારી મુકેશગીરી તેમને બચાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ માર માર્યો હતો.જેમાં શ્રમિકને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જ્યારે પૂજારીના હાથે પણ ઇજા પહોંચી હતી.આ બન્ને ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે આ બનાવને પગલે જીઆરડી જવાનોનો રોજેરોજનો ત્રાસ સહન કરતા ગ્રામજનોની ધીરજ ખૂટી ગઈ હતી અને ગ્રામજનો ભેગા મળીને આ બનાવનો સખત વિરોધ કર્યો હતો.આ બનાવની જાણ થતાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તુરંત આ ગામમાં દોડી જઈને લોકોનો રોષ શાંત પાડીને ફોનમાં જ એસપીને રજુઆત કરીને બન્ને જીઆરડી જવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.આ બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here