શહેરા તાલુકાનાં ખાંડિયા ગામમાં ભુખની દેહશત લોકટોળામાં ફેરવાઈ…

શહેરા,તા-૦૨-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા તાલુકાનાં ખાંડીયા ગામના બજાણીયા ફળીયાનાં ૫૦ થી વધુ મહિલા અને પુરુષો મફત મળવાપાત્ર અનાજ સસ્તા અનાજની દુકાનેથી નહિ મળતા હાઇવે રોડ પર ઉતારી આવ્યા હતા, જેની જાણ તંત્રને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી શહેરા મામલતદાર સહિત પોલીસ પ્રસાશને ગ્રામ્યજનોને સમજાવી મામલો થાળે પડ્યો હતો.

શહેરા ના ખાંડીયા ગામના બજાણીયા ફળિયાના ૫૦ થી વધુ લોકો હાઈવે માર્ગ ને અડીને રેશન કાર્ડ માં મળવા પાત્ર જથ્થો ન મળતો હોવાને લઈને બેનરો સાથે ઉભા રહી ગયા હતા. જ્યારે મામલતદાર અને પોલીસ તંત્ર સ્થળ ખાતે પહોંચી ગયા હતા. મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા એ. પી એલ કાર્ડ ગ્રાહકોને અનાજ મળશે નહિ તેમ જણાવતા ત્યાંના રહીશો પરત પોતાના ઘરે જતા રહયા હતા. જ્યારે દુકાનદારને મળવા પાત્ર તમામ કાર્ડ ગ્રાહકોને અનાજ સહિતનો જથ્થો આપવા સાથે ૬૦ વર્ષના ઉપરના કાર્ડ ગ્રાહકોને ઘરે પહોંચાડવા માટે જણાવ્યું હતું.

શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપર ખાંડીયા ગામ આવેલ છે . આ ગામના બજાણીયા ફળિયાના રહીશો રોજ કમાઈને ખાનારા છે. જ્યારે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાંથી નિશુલ્ક એટલે કે વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેને લઇને બુધવારના રોજથી મીરાપુર ગામ ખાતે આવેલ સસ્તા અનાજની દુકાનમા અનાજ સહિતનો જથ્થો કાર્ડ ગ્રાહકોને આપવામાં આવી રહયો હતો. જ્યારે બજાણીયા ફળિયાના 50 થી વધુ ગ્રામ્યજનોએ ગામમાથી પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને બેનરો સાથે ઉભા રહીને સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. તે સમયે ગામના સરપંચ રાજેન્દ્રસિંહ પરમાર અને કિરણ મકવાણા સ્થળ પર પહોચી ગયા હતા. તેઓ દ્વારા પોલીસ તંત્ર અને મામલતદારને જાણ કરવામાં આવી હતી. જેને લઇને મામલતદાર મેહુલ ભરવાડ , પ્રોબેશનલ ડી વાય એસ પી હેમાલા જોષી, પી આઈ એન.એમ.પ્રજાપતિ , પી.એસ.આઇ કુલદીપ સિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો સ્થળ ખાતે પહોંચી જઈને બજાણીયા ફળિયાના રહીશોને લોકડાઉનનુ પાલન કરવા માટે જણાવ્યું હતુ. ત્યાંના રહીશોએ સરકાર દ્વારા તમામ કાર્ડ ગ્રાહકોને અનાજ મળશે તેમ કહેતા મામલતદાર મેહુલ ભરવાડએ સરકાર દ્વારા જે કાર્ડ ગ્રાહકોને પહેલા મળવાપાત્ર જથ્થો મળતો હતો . તે કાર્ડ ગ્રાહકોને મફતમા અનાજ સસ્તા અનાજની દુકાન ખાતે મળશે. જ્યારે એ પી એલ કાર્ડ ગ્રાહકોને અનાજ મળશે નહી તેમ જણાવ્યું હતું. જેને લઇને બજાણીયા ફળિયાના રહીશો સ્થળ છોડીને પોતાના ઘરે જતા રહ્યા હતા. જ્યારે મામલતદાર દ્વારા આ ગામની સસ્તા અનાજની દુકાન ખાતે મુલાકાત લીધી હતી. દુકાનદારને સરકારના નિયમોનું પાલન કરવા સાથે ૬૦ વર્ષના ઉપરના કાર્ડ ગ્રાહકોને ઘરે બેઠા અનાજ આપવા માટે જણાવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ સસ્તા અનાજની દુકાનો ખાતે કાર્ડ ગ્રાહકોને અનાજ નું વિતરણ કરવામાં આવી રહયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here