રાજપીપલા,
પ્રતિનિધિ :- આશિક પઠાણ
ગાંધીનગર માટે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા બોટાદ માટે જી.એસ.પી.સી. ના એમ.ડી. સંજીવ કુમારની તેનાતી કરાઇ
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના પાટનગર જિલ્લા ગાંધીનગર અને બોટાદ જિલ્લા માં કોરોના વાયરસ કોવીડ 19 ના સંક્રમણ ને નિયંત્રણ માં લેવા માટેના પગલાં તેમજ ઉપાયો માં જિલ્લા તંત્ર નું માર્ગદર્શન કરવા બે વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપી છે*
તદનુસાર ગાંધીનગર જિલ્લા માટે વન પર્યાવરણ ના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા ને તેમજ બોટાદ જિલ્લા માટે જી એસ પી સી ના એમ.ડી સંજીવ કુમાર ની નિયુક્તિ કરવામાં આવી છે
આ બેય વરિષ્ઠ સચિવો તેમને સોંપાયેલા જિલ્લા માં હાથ ધરાઇ રહેલી કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ કામગીરી અને પગલાંઓ નું સુપરવિઝન અસરકારક અમલી કરણ અને જિલ્લા તંત્ર નું માર્ગ દર્શન કરશે