રાજકોટમાં એસ.બી.આઇ. દ્વારા તૈયાર કરાયેલ મોબાઇલ એ.ટી.એમ.વાનને પ્રસ્થાન કરાવતા કલેકટર સુશ્રી રૈમ્યા મોહન

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવીયા

રાજકોટના લોકડાઉનની પરિસ્થિતીમાં લોકોને આર્થિક વ્યવહાર માટે રોકડ રકમની જરૂરીયાતને ધ્યાને લઇને ઘરઆંગણે રોકડની સુવિધા ઉપલબ્ધ કરાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા-રાજકોટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ મોબાઇલ એ.ટી.એમ. વાનને આજરોજ કલેકટર સુશ્રી રૈમ્યા મોહને રીબીન કાપી પ્રસ્થાન કરાવ્યું હતું.
એસ.બી.આઇ.ના અધિકારી પાસેથી મોબાઇલ વાનની કામગીરીની વિગતો મેળવી કલેકટરશ્રી રૈમ્યામોહને સંતોષ વ્યકત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ મોબાઇલ વાન દ્વારા લાકોને ઘરઆંગણે રોકડ વ્યવહારની સુવિધા ઉપલબ્ધ થતાં લોકડાઉનના અમલીકરણમાં વધુ સુગમતા રહેશે.
એસ.બી.આઇ. ના ડી.જી.એમ.શ્રી વિજય ગોયલે આ વિશેષ મોબાઇલ એ.ટી.એમ.વાન વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ મોબાઇલ એ..ટી.એમ. વાન અને વહિવટીતંત્રના માર્ગદર્શન હેઠળ રાજકોટના જરૂરીયાત મુજબના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે ફરતું રહેશે તથા લોકોને ઘરઆંગણે રોકડ વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી પરીમલ પંડયા, એસ.બી.આઇ.ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી હર્ષદ ખેતાણી સહિત બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here