માંગરોળ,(જુનાગઢ)
પ્રતિનિધિ : ઐયુબ મજેવડીયા
હાલ સમસ્ત વિશ્વ કોરોનાનાં કહેરથી ત્રસ્ત થઇ નિસહાય બની બેઠું છે, દુનિયામાં ઠેર-ઠેરથી મૃત માનવ શરીરોની તસ્વીરો સામે આવી રહી છે…!! આજે તો હદએ પોતાની બધી જ મર્યાદાઓ પાર કરી નાંખી છે એટલે કે કોરોનાનાં પ્રકોપથી શિકાર થનારાઓને પણ કોઈ જોવા ત્યાર નથી આવા કપરા સમયમાં માંગરોળના દરિયા કિનારે આજે બપોરના સમયે દુનિયાની સૌથી વિશાળકાય ગણાતી વ્હેલ જાતીની એક નાની વ્હેલ માછલી મૃત હાલતમાં મળી આવી હતી. જેને માંગરોળ ફોરેસ્ટ વિભાગે દ્વારા માછીમાર લોકોની મદદથી દરિયા કિનારે જ મોટો ખાડો કરી દાંટી દેવામાં આવી.