બાબરા,
પ્રતિનિધિ :- હીરેન ચૌહાણ
આજે ભારત સહિતના ૨૦૦ થી વધુ દેશો કોરોના મહામારીથી પીડિત બન્યા છે ત્યારે અનેક લોકો કાળના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ત્યારે સજાગતા અને સભાનતા સિવાય બીજો કોઈ ઉકેલ ન દેખાતા આવા સમયે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના વાઇરસનાં સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે ૨૧ દિવસ લોક ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેથી દેશનાં તમામ નાગરીકો તેમના વિચારો સાથે કદમથી કદમ મિલાવી રહ્યા છે અને આ મહામારી પર અંકુશ મેળવવા લોક સહકાર સાથે સ્થાનિક તંત્ર પણ ખડે પગે કામગીરી કરી રહ્યું છે.
ત્યારે બાબરા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખૅ મુખ્ય મંત્રીશ્રીનૅ પત્ર લખી જણાવ્યૂ કૅ બાબરા માકૅટીંગ યાડૅ લોકડાઉનનાં નીતિ નિયમોને ધ્યાનમાં લઇને ચાલુ કરવામા આવે સાથૅ સાથૅ જૅ શિયાળૂ પાક જૅમ કૅ ચણાના ટૅકાના ભાવૅ વૅચાણ કરાવૅ અનૅ અંતમા જણાવૅલ કૅ હાલ લૉકડાઉન હૉવાથી અનૅ થૉડા સમયમાં ચોમાસું પણ બૅસવાનુ હૉવાથી જગતનૉ તાત કેહાવાતા ખેડૂતોનૅ ખાતર બિયારણ ખરીદવા અનૅ મંડળી બૅન્ક ધીરાણ ભરવાના પૈસા નથી તૉ રાજય સરકાર આવા કપરા સમયમાં ખૅડૂતના હીતમાં યોગ્ય નિર્ણય લઇ તેઓને મદદરૂપ થાય .એવી આશા સાથે કે રાજ્ય સરકાર યૉગ્ય નિણૅય કરશૅ તૅવુ બાબરા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખૅ જણાવૅલ હતું .