નર્મદા: દેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામની નદી પાર કરતા પાણીમા ડુબી જતા આધેડની મોત…

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ઢોરો ચરાવી પરત ફરતાં તરાવ નદીના ઉંડા પાણીમા ગરકાવ…

નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના ગાજરગોટા ગામ ખાતે રહેતા એક આધેડ ની નદીના પાણીમાં ડુબી જવાથી મોત નીપજેલ હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો ગાજરગોટા ગામ ખાતે રહેતો મથુર કાલીયા વસાવા ઉ.વ. 52 ના ઓ નો પોતાના ઢોરો ચરાવવા માટે ગામ ની સીમ મા ગયો હતો,જે પોતાના ઢોરો ચરાવી સાંજ ના પરત પોતાના ધરે ફરી રહ્યો હતો ત્યારે રસ્તા મા આવતી તરાવ નદી માંથી પોતાના ઢોરો ને પાર કરાવી પોતે નદી પાર કરતા ઉંડા પાણીમા ગરકાવ થઈ ગયો હતો અને મોત ને ભેટયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here