કાલોલ,(પંચમહાલ)
પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા
ભારતીય જનતા પાર્ટી કાલોલ અને ડો.સેલ દ્વારા વર્તમાન સમયમાં ફેલાયેલી કોરોના મહામારીના સમયે તાલુકા લેવલે દરેક ગામમાં ૨૨ ડોકટરો જેઓને સોંપેલ ગામ મુજબ સેવા આપશે અને નિમાયેલી ગ્રામ સમિતિના સભ્યો અને સ્વયંસેવકો તેમજ સ્થાનિકં આશાવર્કરને સાથે રાખીને તાલુકાની જનતાનો ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર આરોગ્ય સર્વે કરવા અંગેની કામગીરીની શરૂઆતંના ભાગરૂપે અને કામગીરીની સમજ આપવા માટે બોરુ ખાતે ડો.યોગેસ પંડ્યા ડો કીરન પરમાર ,ડો સુનિલ પરમાર , કીરન બેલદાર મુકેસભાઈ, સલીમભાઈ ,ડી.કે સોલકી પાર્ટીના મર્યાદિત કાર્યકરોની હાજરીમાં સર્વે આપવામાં આવી હતી જેમાં કોરોનાથી બચવાના ઉપાયોની સલાહ વડીલો અને બાળકોની ખાસ કાળજી લેવા અંગે વાકેફ કરવામાં આવ્યા હતા અને સર્વે દરમિયાન ભરવાની થતી માહિતી ફોર્મ અંગે ખાસ સમજ આપી.