શહેરા,
પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ
પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે વિશ્વના ખ્યાતનામ એવા ચીન,ઇટલી, ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોની દશા દુર્દશા બની ગઈ છે ભારતમા પણ ૫૦ હજારથી વધુ દર્દીઓ કોરોના મહામારીનાં ભરડામાં આવી ગયા છે ત્યારે ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઇ સરકારે લોકડાઉનને ત્રીજા ચરણમાં વધારી દીધો છે અને લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે તથા જે કોઈ વ્યક્તિને જરૂરી કામ હોય ત્યારે ઘરમાંથી બહાર નીકળવા તેમજ બહાર નીકળો ત્યારે સામાજિક અંતર અને મોંઢા પર માસ્ક લગાવવાનું કેહવામા આવે છે આ મહામારી દરમિયાન કેટલીયે ખાનગી સંસ્થાઓ સરકારની વ્હારે આવતી હોય છે ત્યારે શહેરા તાલુકાના મોરવા ( રેણા ) ગામે આવેલી ઔધોગિક તાલીમ સંસ્થાના સંચાલક રાજેશભાઈ પટેલ દ્વારા શહેરામાં આવેલી તાલુકા આરોગ્ય કચેરીએ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ .ભરતભાઈ ગઢવીને ૨૦૦૦ જેટલા માસ્ક વિના મૂલ્યે આપવામા આવ્યા હતા.